Gayatri Mantra with Meaning ગાયત્રી મંત્ર અને એનો અર્થ

ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદનાં ત્રીજા મંડળમા મળે છે.ગાયત્રી માતા આપણી વેદમાતા છે. જેમાં મનુષ્યોના તમામ પાપને નષ્ટ કરવાની ક્ષમતા છે. ગાયત્રી મંત્રના જાપ કરવાથી ઘના ફય્દા થાય છે.ગાયત્રી મંત્ર અને એનો અર્થ વિસ્તર માં આપ્યો છે

ગાયત્રી મંત્ર અને એનો અર્થ વિસ્તાર માં આ રીતે છે.

ॐ भूर्भुवः स्वः तत् सवितुर्वरेण्यं ।
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॥

Gujrati Translation.
ૐ ભૂર્ભુવ: સ્વઃ તત્ સવિતુર્વરેણ્યમ્
ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્|

English Translation.
oṃ bhūr bhuvaḥ svaḥ tat savitur vareṇyaṃ
bhargo devasya dhīmahi dhiyo yo naḥ pracodayāt

Gujarat Meaning.
પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મામાં વિચરણ કરવા વાળા તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાનું અમે ધ્યાન કરીએ અને તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે.

Gujrati Meaning in Detail.
– સમસ્ત જીવોને તેમના આત્મા દ્વારા પ્રેરણા આપનાર પરમાત્મા, ઈશ્વર
ભૂ: – પદાર્થ અને ઊર્જા
ભુવ: – અંતરિક્ષ
સ્વ: – આત્મા
ૐ ભૂર્ભુવ: સ્વઃ – પદાર્થ, ઊર્જા, અન્તરિક્ષ અને આત્મા માં વિચરણ કરવા વાળા શુદ્ધસ્વરૂપ
અને પવિત્ર કરવા વાળા ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર
તત્ – તે, તેઓ
સવિતુ: – સૂર્ય, પ્રેરક
વરેણ્યં – પૂજ્ય
ભર્ગ: – શુદ્ધ સ્વરૂપ
દેવસ્ય – દેવતાનાં, દેવતાને
તત્ સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય – તે પ્રેરક, પૂજ્ય, શુદ્ધ સ્વરૂપ દેવતાને
ધીમહિ – અમારૂં મન અથવા અમારી બુદ્ધિ ધારણ કરે, અમે તેમનું મનન, ધ્યાન કરીએ
ધિય: – બુદ્ધિ, સમજ
ય: – તે (ઈશ્વર)
ન: – અમારી
પ્રચોદયાત્ – સારાં કામોમાં પ્રવૃત કરે
ધિયો યો નઃ પ્રચોદયાત્ – તે અમારી બુદ્ધિને સારાં કામોમાં પ્રવૃત કરે

માં ગાયત્રી ના આ મંત્ર નું રોજ ઉચ્ચારણ કરો. આ મંત્ર ના જાપ કરવાથી અનેકો ફાયદા થાય છે.

Please leave you valuable comment and suggestions for betterment